જગત આખું પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો!

પ્યૉરિટી
  • લક્ષ્મી અને વિષયની બાબતોમાં સો ટકા પ્યૉરિટી ખૂબ જ જરૂરી છે.
  • અમારી પ્રવૃત્તિઓ કોઈની પણ પાસેથી અંગત લાભ કે નફા માટે નહીં, પરંતું સંસ્થાના નાણાકીય સ્વાવલંબન, જાળવણી અને વિકાસ માટે છે.
કષાયરહિત વ્યવહાર (કષાય = ક્રોધ, માન, માયા અને લોભ)
  • આપણો વ્યવહાર એકબીજા સાથે અભેદતાના હેતુસર, દાદા ભગવાનની 'નવ કલમો' સાથે, કષાયરહિત અને પ્રેમવાળો હોવો જોઈએ.
અકર્તાભાવ
  • અકર્તાભાવમાં રહેવા માટે સેવાના દરેક કાર્ય કરતી વખતે, પોઝિટીવ દ્રષ્ટિકોણ રાખીએ અને બુદ્ધિનો ઉપયોગ કામકાજના ઉકેલ માટે કરીએ, વ્યક્તિઓની ભૂલો કાઢવા માટે નહીં.
પ્રત્યક્ષ જ્ઞાનીની આધીનતા
  • સંસાર વ્યવહારમાં પરમ વિનય રાખીને અને દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં રહીને, વર્તમાનમાં પ્રત્યક્ષ જ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈ અને જ્ઞાનીઓની ભાવિ વંશાવળી, કે જેમણે પ્રત્યક્ષ જ્ઞાનીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તેમને આધીન રહીએ.
×
Share on