મનુષ્યનું ધ્યેય શું? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને કહ્યું, 'શું કરવાથી મોક્ષે જવાય?' સમકિત થાય તો જવાય અથવા 'જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો.
પરમ પૂજ્ય દાદા ભગવાનએક જ અકષાયી માણસનાં દર્શન કરવામાં આવે તો એમ ને એમ પાપ ધોવાઈ જાય! 'જ્ઞાની પુરુષ' સિવાય અકષાયી માણસ હોય નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે! મોટામાં મોટો સિદ્ધાંત છે! આ 'રિયલ' સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું 'વ્યવહાર સત્ય' છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનબીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય, તેને દુઃખ કેમ કરીને દેવાય? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના દેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિ એ આજની કમાણી છે, આજનો 'એક્સપિરિયન્સ' છે! જ્યારે અક્કલ એ કુદરતી બક્ષિસ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events