• question-circle
  • quote-line-wt

દાન એટલે શું? દાનનાં ફાયદાઓ અને પ્રકારો

દાન/ધર્માદો શું છે: દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્યને હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું એટલે એનું 'રિએક્શન' આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠા આવે! તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું.

નિરાકુળ આનંદ ક્યારે આવશે? સંસારમાં જેની પર અતિશય વહાલ છે, એ વહેતું મૂકવામાં આવશે ત્યારે. સંસારમાં શેની પર અતિશય વહાલ છે? લક્ષ્મીજી ઉપર. તો એને વહેતી મૂકો. ત્યારે કહે છે કે વહેતી મૂકે છે ત્યારે વધારે ને વધારે આવવા માંડી.

દાદાશ્રીએ અહીં દાન/ધર્માદા વિશે વિસ્તૃત જાણકારી આપી છે અને બીજા પ્રશ્નો જેવા કે, દાન એટલે શું? દાનના ફાયદાઓ શું છે? દાનના કેટલા પ્રકાર છે? દાન ક્યાં અપાય? દાન કઈ રીતે અપાય? ગુપ્ત દાન/ધર્માદો શું છે? વગેરે વગેરે અને બીજા અનેક... જે સુજ્ઞ વાચક માટે અમૂલ્ય અને તલસ્પર્શી માર્ગદર્શિકા બની જશે.

દાનના પ્રકાર

દાન કોને કરવું જોઈએ અને શેનું કરવું જોઈએ? દાનનાં કેટલા પ્રકારો છે? કયા કયા? વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો…

play
previous
next

Top Questions & Answers

  1. Q. દાન/ધર્માદાનાં ફાયદા શું છે?

    A. પ્રશ્નકર્તા: આ દાન શા માટે કરવામાં આવે છે? દાદાશ્રી: એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે.... Read More

  2. Q. દાનના કેટલા અને ક્યા પ્રકાર છે?

    A. દાદાશ્રી: કેટલા પ્રકારના દાન છે એવું જાણો છો તમે? ચાર પ્રકારના દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન,... Read More

  3. Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?

    A. પ્રશ્નકર્તા: તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી? દાદાશ્રી: લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે... Read More

  4. Q. દાનમાં કેટલું આપવું જોઈએ?

    A. પ્રશ્નકર્તા: સરપ્લસ કોને કહેવાય? દાદાશ્રી: સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય... Read More

  5. Q. દાન કેવી રીતે આપવું? ધર્માદો કેવી રીતે આપવો?

    A. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી... Read More

  6. Q. દાન, ક્યાં અપાય?

    A. એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની... Read More

  7. Q. ગુપ્ત દાન શું છે?

    A. પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છે ને? દાદાશ્રી: કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે.... Read More

  8. Q. મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?

    A. પ્રશ્નકર્તા: આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને... Read More

  9. Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?

    A. પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની... Read More

  10. Q. પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો?

    A. પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી... Read More

  11. Q. શું કાળા નાણાંને દાનમાં આપવા જોઈએ?

    A. પ્રશ્નકર્તા: ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે? દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાય... Read More

Spiritual Quotes

  1. દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરોને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે.
  2. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય.
  3. દાન આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો!
  4. દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ ઘેર બેઠાં તમારે આવે!

Related Books

×
Share on