• question-circle
  • quote-line-wt

શુદ્ધ પ્રેમની પરિભાષા

“હું તને પ્રેમ કરું છું!”... “આઈ લવ યુ!”... “એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો!”... “મમ્મી, તું ભાઈને વધારે લવ કરે છે, મને નહીં!”

વ્યવહારમાં પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે પ્રેમ ખરેખર શું છે? પ્રેમને વ્યક્ત કરવા માટે ફીલિંગ્સ, ઈમોશન્સ, અટેચમેન્ટ, રાગ, મોહ, વાત્સલ્ય વગેરે શબ્દો પણ વપરાય છે. શું આ લાગણીઓને પ્રેમ કહેવાય?

જીવન વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ પ્રેમ શબ્દ પ્રયોજાતો હોય છે, પણ સાથે સાથે એ જ વ્યવહાર કે સંબંધોમાં રાગ-દ્વેષ ઊભા થાય, ત્યારે પ્રશ્ન થાય કે આને પ્રેમ કહેવાય? જ્યાં સંબંધોમાં એકબીજા પ્રત્યે સ્વાર્થ, ઘાટ, બદલાની આશા ડોકાતી હોય ત્યાં શું ખરેખર આ પ્રેમ છે? એકબીજા ઉપર દોષારોપણ થતું હોય, સામસામે આક્ષેપો અપાતા હોય, તો પ્રશ્ન થાય કે પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે? સાચો પ્રેમ કોને કહેવો? સાચો પ્રેમ ક્યાં મળે?

આ તમામ પ્રશ્નોના અહીં સ્વયં પ્રેમમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી જવાબ મળે છે. તેઓશ્રી સાચા પ્રેમની વ્યાખ્યા આપે છે, જેનાથી સંસારમાં પ્રેમ પ્રત્યે પ્રવર્તતી તમામ ગેરમાન્યતાઓ દૂર થાય છે. સંસારમાં કહેવાતા પ્રેમના સંબંધોમાં જ્યારે કડવાશ ઊભી થાય ત્યારે હૃદયમાં અપાર દુઃખ અનુભવાય છે. એ તમામ સંબંધોમાં પ્રેમવાળો વ્યવહાર કઈ રીતે કેળવી શકાય તેની સમજણ અહીં ખુલ્લી થાય છે. આજે યુવાનો અને ટીનેજરોમાં પ્રેમમાં પડવાના, પ્રેમભગ્ન થવાના અને પરિણામે હતાશ કે ડિપ્રેસ થવાના કિસ્સાઓ હાલતા ને ચાલતા બને છે. એ સૌને સાચો રાહ દર્શાવતી સમજણ અહીં ખુલ્લી થાય છે.

આખું જગત સાચા પ્રેમથી જ વશ થાય એમ છે. જગતે જોયો નથી, જાણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી એવો શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મ પ્રેમ છે. એવો પ્રેમ જેણે ચાખ્યો, પછી એ ક્યારેય વિસરાતો નથી! આ કાળમાં સંસારની બધી જંજાળોમાં જકડાયેલા હોવા છતાં પણ આવા શુદ્ધ પ્રેમને પ્રાપ્ત કરવાનો રાહ અહીં ખુલ્લો થાય છે.

પ્રેમની પરિભાષા

કોઈની પ્રત્યે આકર્ષણ થાય એને પ્રેમ ના કહેવાય એ આસક્તિ કહેવાય. શુદ્ધ પ્રેમ છે એ પરમાત્મા પ્રેમ છે, જે પ્રેમમાં કંઈ પણ મેળવવાની ભાવના નથી, કંઈ જોઈતું નથી. મેળવીએ સમજણ સાચા પ્રેમની.

play
previous
next

Top Questions & Answers

  1. Q. સાચો પ્રેમ કોને કહેવાય?

    A. કબીર સાહેબે કહ્યું છે કે, “પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત... Read More

  2. Q. આસક્તિ અને પ્રેમમાં શું ફેર છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાનની દૃષ્ટિએ મોહ અને આસક્તિ એ પ્રેમ નથી. તેઓશ્રી આપણને લૌકિક માન્યતાથી વિરુદ્ધ... Read More

  3. Q. કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું?

    A. તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે... Read More

  4. Q. લગ્નજીવનમાં પ્રેમ કઈ રીતે ટકે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આખી દુનિયા જીતવાની નથી, ઘર જ જીતવાનું છે.” ઘરમાં સૌથી નાજુક સંબંધ... Read More

  5. Q. બાળકો પ્રત્યે પ્રેમથી કેવી રીતે વર્તવું?

    A. વ્યવહારમાં બાળકો ફક્ત પ્રેમથી જ વશ થઈ શકે, ત્યાં બીજા બધા હથિયાર અંતે નકામા નીવડે. મા-બાપને એમ જ... Read More

  6. Q. પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં મળે?

    A. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે!!! - પરમ પૂજ્ય દાદા ભગવાન શુદ્ધ પ્રેમ એ જ... Read More

  7. Q. પ્રેમસ્વરૂપ કેવી રીતે થવાય?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે!” કારણ કે આ જગત પ્રેમથી જ સુધરે... Read More

Spiritual Quotes

  1. પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય.
  2. આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં.
  3. ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ.
  4. સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય.
  5. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.
  6. એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે.
  7. ''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.''
  8. એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.
  9. શુદ્ધ પ્રેમ હોય ત્યાં ખેંચ ના હોય. ખેંચ એ આસક્તિ છે.
  10. પ્રેમ સ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમ સ્વરૂપ’ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈનાય દોષ ન જુઓ ત્યારે.
  11. ‘શુદ્ધ પ્રેમ’ એટલે વધે નહીં, ઘટે નહીં. ગાળો ભાંડીએ તો ઘટી ના જાય ને ફૂલો ચઢાવીએ તો વધી ના જાય, એનું નામ ‘શુદ્ધ પ્રેમ.’ ‘શુદ્ધ પ્રેમ’ એ પરમાત્મા પ્રેમ ગણાય છે. એ જ સાચો ધર્મ છે !
  12. સંસારી પ્રેમ નામે ય ન હોય, એનું નામ ‘પરમાર્થ પ્રેમ ’!
  13. મમતા ના હોય ત્યારે જ ‘પ્રેમ સ્વરૂપ’ થઈ શકે.
  14. જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવ્યો ત્યાં બધા દોષ દેખાય.
  15. આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાંને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. ‘શુદ્ધ પ્રેમ’ એ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી કે એમના ‘ફોલોઅર્સ’ પાસેથી મળે !
  16. આ ‘વિજ્ઞાન’ પ્રેમસ્વરૂપ છે ! પ્રેમમાં કશું હોય નહીં. ક્રોધ-માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય નહીં.
  17. છેલ્લું સ્વરૂપ તે પ્રેમસ્વરૂપ છે ! આ પ્રેમલા-પ્રેમલીના પ્રેમ ત્યાં ના ચાલે. ભગવાનનો તો ‘શુદ્ધ પ્રેમ’ હોય. જે વધે-ઘટે તે આસક્તિ કહેવાય. ‘શુદ્ધ પ્રેમ’ માં વધ-ઘટ ના થાય.
  18. જેટલો દ્વેષ જાય તેટલો ‘શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. સંપૂર્ણ દ્વેષ જાય ત્યારે સંપૂર્ણ ‘શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. આ જ રીત છે.
  19. ‘હું લઢવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ‘ડીપ્રેસ’ ના થાઉં ને હાર ચઢાવો તો ‘એલીવેટ’ ના થઉં !’ સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ ‘શુદ્ધ પ્રેમ’માં નહીં.
  20. સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી, પણ આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. ત્યારે જ સામાનો પ્રેમ સંપાદન થાય !
  21. ‘જ્ઞાની’ઓનું જ્ઞાનસ્વરૂપ ઓળખવાનું છે. જગતને પ્રેમસ્વરૂપે ઓળખવાનું છે.
  22. લૌકિક પ્રેમનું ફળ જ વેર છે !
  23. જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવ્યો ત્યાં બધા દોષ દેખાય.
  24. હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે.

Related Books

×
Share on