Related Questions

‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?

પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. 

દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના શેઠિયા તે વહુને હઉ છેતરે. પણ છેવટે નનામી કાઢે છે ત્યારે તો એ જ છેતરાય છે. હિન્દુસ્તાનના શેઠિયાઓ નોકરનું તેલ કાઢ કાઢ કરે, જંપીને ખાવા ય ના દે, નોકરના પગાર કાપી લે. પેલા ઈન્કમટેક્ષવાળા કાપી લે, ત્યારે ત્યાં સીધા થાય, પણ આજ તો ઈન્કમટેક્ષવાળાનું ય આ લોકો કાપી લે છે ! 

જગત તો પ્યાદાને, 'અન્ડરહેન્ડ'ને ટૈડકાવે એવું છે. અલ્યા, સાહેબને ટૈડકાવને, ત્યાં આપણું જીતેલું કામનું ! જગતનો આવો વ્યવહાર છે. જ્યારે ભગવાને એક જ વ્યવહાર કહ્યો હતો કે તારા 'અન્ડર'માં જે આવ્યા તેમનું રક્ષણ કરજે. 'અન્ડરહેન્ડ'નું રક્ષણ કરે તે ભગવાન થયેલા. હું નાનો હતો ત્યારથી જ 'અન્ડરહેન્ડ'નું રક્ષણ કરતો. 

અત્યારે અહીં કોઈ નોકર ચાની ટ્રે લઈને આવે ને તે પડી જાય એટલે શેઠ એને ટૈડકાવે કે 'તારા હાથ ભાંગલા છે. દેખાતું નથી ?' હવે એ તો નોકર રહ્યો બિચારો. ખરેખર નોકર કોઈ દહાડો કશું તોડે નહીં, એ તો 'રોંગ બીલિફ'થી એમ લાગે છે કે નોકરે તોડ્યો. ખરેખર તોડનારો બીજો છે. હવે ત્યાં બિનગુનેગારને ગુનેગાર ઠરાવે છે, નોકર પછી એનું ફળ આપે છે, કોઈપણ અવતારમાં. 

પ્રશ્નકર્તા : તો એ વખતે તોડનાર કોણ હોઈ શકે ? 

દાદાશ્રી : એ અમે 'જ્ઞાન' આપીએ છીએ તે વખતે બધા ખુલાસા આપી દઈએ છીએ, આ તોડનાર કોણ ? ચલાવનાર કોણ એ બધું જ 'સોલ્વ' કરી આપીએ છીએ. હવે ત્યાં ખરી રીતે શું કરવું જોઈએ? ભ્રાંતિમાં ય શું અવલંબન લેવું જોઈએ ? નોકર તો 'સિન્સીયર' છે, એ તોડે એવો નથી. 

પ્રશ્નકર્તા : ગમે તેટલો 'સિન્સીયર' હોય પણ નોકરના હાથે તૂટી ગયું તો પરોક્ષ રીતે એ જવાબદાર નહીં ? 

દાદાશ્રી : ખરો, જવાબદાર ! પણ આપણે કેટલો જવાબદાર છે તે જાણવું જોઈએ. આપણે પહેલામાં પહેલું તેને પૂછવું જોઈએ કે, 'તું દાઝયો તો નથી ને ?' દાઝયો હોય તો દવા ચોપડવી. પછી ધીમે રહીને કહેવું કે ઉતાવળે ના ચાલીશ હવેથી.

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on