સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આ જ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળ-ભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધા, પીરસે, પાછા ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબરેય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી. દુઃખ તમારું મહીંથી જ આવે છે. સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને? આ તો બધા અન્યોન્ય દોષ દે કે, 'તમે આવા છો, તમે તેવા છો' ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે, 'સમભાવે નિકાલ કરજો.' એનાથી વેર બંધ થાય.
બીજાના દોષ (અવગુણ) ક્યારેય ના દેખાય તે માટે મારે કઈ સમજણ વાપરવી?
"દોષો તો બધાની ગટરો છે. આ બહારની ગટરો આપણે ઉઘાડતા નથી. આ નાના બાબાનેય એ અનુભવ હોય. આ રસોડું રાખ્યું તે ગટર તો હોવી જ જોઈએ ને! પણ તે ગટરને ઉઘાડવી નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચિઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું, તેને ગટર ઉઘાડી કહેવાય. એના કરતા ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે, પણ સમજાતું નથી! અને સમજાય છતાં કરે શું? છેલ્લે કોઠે પડી જાય છે એ."
શાસ્ત્રો વાંચીને ગા ગા કરે કે, 'કોઈની નિંદા ના કરશો' પણ નિંદા તો ચાલુ જ હોય. કોઈનું જરાય અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ! આ બહારની ગટરોનું ઢાંકણ કોઈ ઉઘાડતું નથી. પણ લોકોની ગટરોના ઢાંકણ ઉઘાડ ઉઘાડ કરે છે.
Book Name : નિજદોષ દર્શનથી... નિર્દોષ(Page #25 Paragraph #3,#4)
Q. સંબંધોમાં સમસ્યાઓ ઉત્પન્ન થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા: મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી... Read More
Q. ઘરમાં સુખી કેવી રીતે રહેવું?
A. જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં... Read More
Q. શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?
A. પ્રશ્નકર્તા: દાદા, સામાના દોષ કેમ દેખાય છે? દાદાશ્રી: પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય... Read More
Q. વ્યવહારમાં મતભેદ પડતા કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More
Q. બાળકોને સુધારવા માટે શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?
A. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા... Read More
Q. સાસુ-વહુના પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?
A. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકેએક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે... Read More
Q. અપમાનનો સામનો કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને? આપણો વાંક ના હોય તો પણ બોલે... Read More
Q. શું આપણે કોઈના માટે પ્રિજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?
A. દોષ જોવાનું બંધ કરી દો ને! પ્રશ્નકર્તા: જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે... Read More
Q. કામકાજની જગ્યા પર આળસુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. પ્રશ્નકર્તા: મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી: ખોટું છે... Read More
subscribe your email for our latest news and events