ભાવ પ્રતિક્રમણ
આપણે રોજબરોજના વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જાણતા અજાણતા દુઃખ આપી દેતા હોઈએ છીએ. અને જો પાછળથી આપણી ભૂલ સમજાય તો આપણે માફી મંગાવી જોઈએ. પ્રસ્તુત વીડિયોમાં નીરુમા ભાવ પ્રતિક્રમણ વિશે સમજાવે છે.
જીવનમાં જ્યાં પળે પળે અથડામણો થતી હોય, ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોના આક્રમણ થયા કરતા હોય, કોઈથી આપણને કે આપણા થકી કોઈને દુઃખ થતું હોય ત્યાં ડગલે ને પગલે પાપ બંધાયા જ કરે છે. ગમે તેટલા ધર્મ, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કરીએ છતાં પણ મન-વચન-કાયાથી થતાં દોષો અટકતા નથી, અંતરશાંતિ ક્યાંય મળતી નથી. તેવામાં પાપમાંથી પાછા ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો? મોક્ષમાર્ગે આગળ વધવા તેમજ સંસારમાં પણ સુખ-શાંતિથી રહેવા માટેનો કોઈ ઉપાય ખરો? કવિ કલાપીએ કહ્યું છે:
“હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
ગમે તેવું ખોટું કામ થઈ જાય, પણ જો પાછળ પસ્તાવો કરીએ તો એ પાપ ધોવાઈ જાય છે. દરેક ધર્મમાં પસ્તાવાનું મહત્ત્વ મૂક્યું છે, જેને ખ્રિસ્તી ધર્મમાં ‘કન્ફેશન’, ઈસ્લામ ધર્મમાં ‘અસ્તાગફિરુલ્લાહ’, યહૂદી ધર્મમાં ‘તેશુવા’, હિન્દુ ધર્મમાં ‘પશ્ચાત્તાપ’ એમ જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જૈન ધર્મના શાસ્ત્રોનો સાર પણ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણ એ કોઈ ધર્મ પૂરતો સીમિત ખ્યાલ નથી પણ ખોટું કાર્ય થયા પછી માફી માંગવાનો અને વૈજ્ઞાનિક ઢબે પોતાના ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયોથી બંધાતા પાપથી મુક્ત થવાનો માર્ગ છે.
પોતાના જીવનકાળ દરમ્યાન આપણે સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાઈએ છીએ કે ભૂલો કરવી નથી છતાં ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી અને સતત મૂંઝવણ અનુભવાય છે. આપણને સૌને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય તે માટે જ્ઞાનીઓએ પ્રતિક્રમણરૂપી હથિયાર આપ્યું છે, જેના દ્વારા પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય અને દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળીયા સહિત નિર્મૂલન કરી શકાય.
અહીં આપણે રોજિંદા જીવન વ્યવહારમાં પ્રતિક્રમણથી પાપ બંધાતા કઈ રીતે અટકે તેની વિસ્તૃત સમજણ મેળવીશું. સાથે સાથે પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલા પ્રતિક્રમણનો સાચો અર્થ, તેની સાચી રીત અને તેનું મહત્ત્વ પણ સમજીશું.
A. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જેમ આપણે કોઈ ખોટા રસ્તે આગળ વધી ગયા તો પછી યુ-ટર્ન લઈને પાછા સાચા... Read More
A. જ્યાં જ્યાં અતિક્રમણ થાય છે ત્યાં પ્રતિક્રમણ કરવાની જરૂર. સામાન્ય વ્યવહાર એટલે ક્રમણ. પણ જે... Read More
Q. પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ શું છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો... Read More
A. અતિક્રમણ કરવાની કોઈને રીત નથી શીખવી પડતી. અતિક્રમણ એની મેળે થયા કરે છે. કોઈને ગોદો મારવો હોય,... Read More
Q. સંબંધોને સુધારવા પ્રતિક્રમણ કઈ રીતે કરવા?
A. આપણે નજીકની વ્યક્તિઓના સંબંધોમાં સૌથી વધારે દુઃખ આપી દઈએ છીએ. ઘણીવાર દુઃખ આપવા બદલ આપણે ખૂબ... Read More
Q. જીવનમાં પાપકર્મથી કઈ રીતે છૂટવું?
A. ભયંકર કાળ આવી રહ્યો છે. ભયંકર દુઃખો આવવાના છે! વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ આવશે, એનીય મોટાં... Read More
Q. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું?
A. મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધી (સંસ્કૃતમાંથી ઊતરી આવેલી પ્રાકૃત ભાષા) ભાષાનો શબ્દ છે, જે ભાષામાં... Read More
Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?
A. પ્રશ્નકર્તા: કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? દાદાશ્રી: અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More
Q. તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?
A. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ... Read More
Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?
A. પ્રશ્નકર્તા: મને સિગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી: તે એને 'તું' એવું રાખજે કે આ ખોટી છે,... Read More
Q. નેગેટિવ વિચારોને કેવી રીતે બંધ કરવા?
A. પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કર્મના ફળના કરવાનાં કે સૂક્ષ્મના કરવાના? દાદાશ્રી: સૂક્ષ્મના... Read More
A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More
subscribe your email for our latest news and events